Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હરભજન-યુવરાજ મારા નાના ભાઈ જેવા, તેમને મારવાનો સવાલ જ નથી : અખ્તર

હરભજન-યુવરાજ મારા નાના ભાઈ જેવા, તેમને મારવાનો સવાલ જ નથી : અખ્તર

06 July, 2016 07:11 AM IST |

હરભજન-યુવરાજ મારા નાના ભાઈ જેવા, તેમને મારવાનો સવાલ જ નથી : અખ્તર

હરભજન-યુવરાજ મારા નાના ભાઈ જેવા, તેમને મારવાનો સવાલ જ નથી : અખ્તર



akhtar



ભારતીય સ્પિનર હરભજન સિંહે દાવો કર્યો હતો કે મારી અને યુવરાજ સિંહ સાથે પાકિસ્તાની દિગ્ગજ બોલર શોએબ અખ્તરે મારઝૂડ કરી હતી. એનો જવાબ આપતાં શોએબ અખ્તરે કહ્યું હતું કે સમગ્ર પ્રકરણમાં રજનું ગજ કરવામાં આવ્યું છે. શોએબે કહ્યું હતું કે ‘મને લાગે છે કે હરભજને સમગ્ર બનાવને વધુપડતું મહત્વ આપ્યું છે. હા, ૨૦૦૪માં આ ઘટના બની હતી અને ત્યારે અમે રાવલપિંડીમાં ટેસ્ટ-મૅચ રમી રહ્યા હતા, પરંતુ એમાં કોઈ ગંભીરતા નહોતી. એ માત્ર મજાક માટે કરવામાં આવ્યું હતું. અમે મસ્તી જ કરતા હતા. ભજી અને યુવી મારા નાના ભાઈ જેવા છે. તેમને મારવાનો સવાલ જ પેદા નથી થતો.’

હરભજને ભારતીય ટીવી-ચૅનલ પર આ ઘટનાની વાત કરી હતી એથી પાકિસ્તાની મીડિયાએ પણ તેને ખાસ મહત્વ આપ્યું હતું. એ સિરીઝમાં પાકિસ્તાનના કૅપ્ટન રહેલા ઇન્ઝમામ-ઉલ-હકે પણ એ ઘટનાને પુષ્ટિ આપતાં કહ્યું હતું કે શોએબ એટલો તાકાતવર હતો કે તેને ગળે મળીએ કે તેની સાથે હાથ મિલાવીએ તો પણ અન્ય ખેલાડીને દુખવા માંડતું હતું.

હરભજન સિંહે કહ્યું હતું કે ‘શોએબે એક વખત મને કહ્યું હતું કે હું તને તારા રૂમમાં આવીને મારીશ. મેં જવાબ આપ્યો હતો, આવી જા, જોઈએ છે કોણ કોને મારે છે? હું ઘણો ડરી ગયો હતો. તેણે એક વખત મને અને યુવરાજને રૂમમાં આવીને માર્યા હતા. તેને કાબૂમાં કરવો મુશ્કેલ હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2016 07:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK