ગપ્ટિલના કૅચને નહીં, પરંતુ મૅક્સવેલે બોલરોને આપ્યું જીતનું શ્રેય
પંજાબના ખેલાડી માર્ટિન ગપ્ટિલના એક હાથેથી લીધેલા કૅચની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. આ કૅચને IPLનો સર્વશ્રેષ્ઠ કૅચ ગણવામાં આવી રહ્યો છે. મુંબઈના ખેલાડી લેન્ડલ સિમન્સના ગપ્ટિલે પકડેલા કૅચને કારણે જ પંજાબની ટીમે વાપસી કરી હતી. બાદમાં તેણે સાત રનથી મૅચ જીતી હતી. જોકે પંજાબના કૅપ્ટન ગ્લેન મૅક્સવેલે જીતનું શ્રેય પોતાના બે બોલર સંદીપ શર્મા અને મોહિત શર્માને આપ્યું હતું. મૅક્સવેલે કહ્યું હતું કે ‘મોહિત અને સંદીપે અમને જિતાડ્યા. છેલ્લી બે ઓવરમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું. પિચ પર ઝાકળ હતું જેનાથી આવી પિચ પર બોલિંગ કરવાની થોડી મુશ્કેલ હતી. પોલાર્ડે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ અમે ડર્યા વગર સારું પ્રદર્શન કર્યું.’