બૅન્ગલોરની પાકિસ્તાન સામેની T20 ખોરવી નાખવાની ધમકી
ADVERTISEMENT
બેલગામ (કર્ણાટક) :
શ્રી રામ સેનેના પ્રમુખ પ્રમોદ મુથાલિકે ગઈ કાલે આ ધમકી બાબતમાં પત્રકારોને કહ્યું હતું કે ‘રાજ્યમાં અમારા ૩૧ એકમો છે અને આ મૅચના વિરોધ માટે અમે બધા એકત્રિત થઈ રહ્યા છીએ. જે દેશ આતંકવાદને પોષતો હોય એની ટીમ સાથે આપણે રમવું જ ન જોઈએ.’
શ્રી રામ સેનેએ મૅચ ખોરવવા એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પચીસમી ડિસેમ્બરની મૅચની ૬૦૦ ટિકિટ ખરીદી લીધી છે અને બીજી ૧૦૦૦ ખરીદશે.
પાકિસ્તાન સામેની અમદાવાદની T20 ૨૭ને બદલે ૨૮ ડિસેમ્બરે
અમદાવાદ : પાકિસ્તાન સામેની T20 સિરીઝમાં અમદાવાદની બીજી મૅચ ૨૭ ડિસેમ્બરને બદલે ૨૮ ડિસેમ્બરે રમાશે.
૨૭ ડિસેમ્બરે પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુત્તોની પુણ્યતિથિ હોવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એ દિવસે મૅચ ન રાખવાની વિનંતી કરી હતી જે ભારતીય બોર્ડે માન્ય રાખી હતી. બેનઝીરની ૨૦૦૭માં હત્યા થઈ હતી.
સિરીઝની પ્રથમ T20 મૅચ પચીસમી ડિસેમ્બરે બૅન્ગલોરમાં રમાશે. આ સિરીઝ પછી બન્ને દેશ વચ્ચે ત્રણ વન-ડે રમાશે.