Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૅન્ગલોરની પાકિસ્તાન સામેની T20 ખોરવી નાખવાની ધમકી

બૅન્ગલોરની પાકિસ્તાન સામેની T20 ખોરવી નાખવાની ધમકી

16 December, 2012 03:35 AM IST |

બૅન્ગલોરની પાકિસ્તાન સામેની T20 ખોરવી નાખવાની ધમકી

બૅન્ગલોરની પાકિસ્તાન સામેની T20 ખોરવી નાખવાની ધમકી






બેલગામ (કર્ણાટક) :


શ્રી રામ સેનેના પ્રમુખ પ્રમોદ મુથાલિકે ગઈ કાલે આ ધમકી બાબતમાં પત્રકારોને કહ્યું હતું કે ‘રાજ્યમાં અમારા ૩૧ એકમો છે અને આ મૅચના વિરોધ માટે અમે બધા એકત્રિત થઈ રહ્યા છીએ. જે દેશ આતંકવાદને પોષતો હોય એની ટીમ સાથે આપણે રમવું જ ન જોઈએ.’


શ્રી રામ સેનેએ મૅચ ખોરવવા એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પચીસમી ડિસેમ્બરની મૅચની ૬૦૦ ટિકિટ ખરીદી લીધી છે અને બીજી ૧૦૦૦ ખરીદશે.

પાકિસ્તાન સામેની અમદાવાદની T20 ૨૭ને બદલે ૨૮ ડિસેમ્બરે

અમદાવાદ : પાકિસ્તાન સામેની T20  સિરીઝમાં અમદાવાદની બીજી મૅચ ૨૭ ડિસેમ્બરને બદલે ૨૮ ડિસેમ્બરે રમાશે.

૨૭ ડિસેમ્બરે પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુત્તોની પુણ્યતિથિ હોવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એ દિવસે મૅચ ન રાખવાની વિનંતી કરી હતી જે ભારતીય બોર્ડે માન્ય રાખી હતી. બેનઝીરની ૨૦૦૭માં હત્યા થઈ હતી.

સિરીઝની પ્રથમ T20  મૅચ પચીસમી ડિસેમ્બરે બૅન્ગલોરમાં રમાશે. આ સિરીઝ પછી બન્ને દેશ વચ્ચે ત્રણ વન-ડે રમાશે.
Whatsapp-channel Whatsapp-channel

16 December, 2012 03:35 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK