Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત પર વીરુ ખુશ, પણ સાથીઓ પર ખફા

રોહિત પર વીરુ ખુશ, પણ સાથીઓ પર ખફા

30 November, 2011 07:50 AM IST |

રોહિત પર વીરુ ખુશ, પણ સાથીઓ પર ખફા

રોહિત પર વીરુ ખુશ, પણ સાથીઓ પર ખફા






કટક : વેસ્ટ ઇન્ડીઝ સામેની વાનખેડેની છેલ્લી ટેસ્ટ નાટ્યાત્મક ડ્રૉ થઈ અને ભારત જીતથી વંચિત રહી ગયું એ પછી ત્રીજા જ દિવસે ગઈ કાલે સિરીઝની પ્રથમ વન-ડેમાં પણ ટીમ ઇન્ડિયાએ માંડ માંડ જીત મેળવી હતી. બીજી વન-ડે (બપોરે ૨.૩૦) શુક્રવારે રમાશે.


ગઈ કાલના મૅન ઑફ ધ મૅચ રોહિત શર્મા (૭૨ રન, ૯૯ બૉલ, ૧ સિક્સર, ૩ ફોર) અને રવીન્દ્ર જાડેજા (૩૮ રન, ૬૨ બૉલ, ૩ ફોર) સિવાય બીજો કોઈ પણ બૅટ્સમૅન ૨૦ રનનો આંકડો પાર નહોતો કરી શક્યો. કૅપ્ટન વીરેન્દર સેહવાગે મૅચ પછી પત્રકારોને કહ્યું હતું કે ‘રોહિત સિવાય અમારામાં કોઈ જ સારું ન રમ્યું. ૨૧૨નો નાનો ટાર્ગેટ પણ મુશ્કેલીથી મેળવ્યો. આસાન જીતને અમે થિ્રલરમાં ફેરવી નાખી. ૫૯ રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી. ભારતની પિચ પર આવું ભાગ્યે જ બનતું હોય છે. હું અમારા બૅટ્સમેનોની આવી ભૂલ ફરી નહીં ચલાવું. તેમણે ભૂલ સુધારવી જ પડશે.’


છેલ્લી બે ઓવરમાં ભારતે ૯ રન બનાવવાના હતા. ૪૯મી ઓવરમાં ઉમેશ યાદવ (૬ નૉટઆઉટ) અને વરુણ ઍરોને (૬ નૉટઆઉટ) એક-એક ફોર ફટકારવા સહિત કુલ ૧૦ રન બનાવીને ભારતને રોમાંચક જીત અપાવી હતી. Whatsapp-channel Whatsapp-channel

30 November, 2011 07:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK