Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોહલી આઉટ ઑફ ફૉર્મ છે, તેને આંખની તકલીફ નથી : સેહવાગ

કોહલી આઉટ ઑફ ફૉર્મ છે, તેને આંખની તકલીફ નથી : સેહવાગ

06 March, 2020 03:46 PM IST | New Delhi

કોહલી આઉટ ઑફ ફૉર્મ છે, તેને આંખની તકલીફ નથી : સેહવાગ

વીરેન્દર સેહવાગ

વીરેન્દર સેહવાગ


ન્યુ ઝીલૅન્ડ સામેની ટૂરમાં ખાસ પ્રદર્શન ન કરી શકનાર વિરાટ કોહલીના ફૉર્મને લઈને અનેક પ્રશ્નો ઊઠી રહ્યા હતા. કપિલ દેવે તો એમ કહ્યું હતું કે વિરાટની વધતીજતી ઉંમરને લીધે તેને જોવામાં તકલીફ થઈ રહી હશે, પણ વીરેન્દર સેહવાગ આ વાતથી સહમત નથી. વીરુનું કહેવું છે કે કોહલી આઉટ ઑફ ફૉર્મ છે. કોહલી વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘જ્યારે તમે આઉટ ઑફ ફૉર્મ હો ત્યારે તમારી મદદે કોઈ આવતું નથી. એવું નથી કે વિરાટ મહેનત નથી કરતો, પણ નસીબ તેની સાથે નથી. વિરાટને 

હાથ-આંખના કો-ઑર્ડિનેશનમાં કોઈ તકલીફ નથી. હા, આ કો-ઑર્ડિનેશનમાં ધીમે -ધીમે ઘટાડો થાય છે, પણ રાતોરાત નથી થતો. મારું ચોક્કસપણે માનવું છે કે આ આઉટ ઑફ ફૉર્મની વાત છે, કેમ કે કોહલી ઘણા સારા બૉલ પર આઉટ થયો હતો. ન્યુ ઝીલૅન્ડમાં બૉલ ઘણા સીમ થાય છે અને જો એવામાં રન ન બનાવીએ તો મુસીબતમાં વધારો થાય છે. સીધી વાત છે કે તમે ફ્રન્ટફુટ પર વધુ રમી શકો છો. જોકે મારા માટે એ મહત્ત્વનું છે કે તમે કયો બૉલ છોડો છો. તમે જ્યારે કૉન્ફિડન્સ હો ત્યારે જ એ પ્રમાણે રમી શકો છો. વિરાટ પ્રેશરને કારણે આઉટ થતો રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2020 03:46 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK