Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટેસ્ટ ઓપનર તરીકે રોહિતને સમય આપવામાં આવશે : કોહલી

ટેસ્ટ ઓપનર તરીકે રોહિતને સમય આપવામાં આવશે : કોહલી

02 October, 2019 01:06 PM IST | વિશાખાપટ્ટનમ

ટેસ્ટ ઓપનર તરીકે રોહિતને સમય આપવામાં આવશે : કોહલી

ફૅન હો તો ઐસા - વિશાખાપટ્ટનમમાં ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મૅચ પહેલાં યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં વિરાટ કોહલીનો એક ચાહક આવી પહોંચ્યો હતો, જેણે પોતાના ચેસ્ટ પર કોહલીના ફેસનું ટૅટૂ ચિતરાવ્યું હતું. કોહલીએ પોતાના આ ફૅન સાથે ફોટો પણ ક્લિક કર્યો હતો.

ફૅન હો તો ઐસા - વિશાખાપટ્ટનમમાં ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મૅચ પહેલાં યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં વિરાટ કોહલીનો એક ચાહક આવી પહોંચ્યો હતો, જેણે પોતાના ચેસ્ટ પર કોહલીના ફેસનું ટૅટૂ ચિતરાવ્યું હતું. કોહલીએ પોતાના આ ફૅન સાથે ફોટો પણ ક્લિક કર્યો હતો.


ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમની ઓપનિંગ કરવાની જવાબદારી રોહિત શર્માને આપવામાં આવી છે. અત્યાર સુધી રોહિત વન-ડે મૅચમાં ઓપનર તરીકે રમતો હતો, પણ હવે તેને ટેસ્ટ મૅચમાં પણ ઓપનિંગ કરવાની તક આપવામાં આવી છે. રોહિતની આ નવી તકના સંદર્ભમાં વાત કરતાં કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘ટેસ્ટ મૅચમાં રોહિતની ઓપનિંગને લઈને અમને કોઈ ઉતાવળ નથી. પોતાની ગેમ પોતાના હિસાબે રમવાનો તેને પૂરતો સમય આપવામાં આવશે. ટેસ્ટ મૅચમાં વિવિધ પિચ પર પોતાની જગ્યા બનાવીને રમવું ઘણું જરૂરી છે. અમે કોઈ ચોક્કસ પ્રકારની બૅટિંગ સ્કીલની તલાશ નથી કરી રહ્યા. વીરુભાઈ જે પ્રમાણે લાંબા સમયથી રમતા હતા એ પ્રમાણેની રોહિતમાં ક્ષમતા છે કે તે ગેમને આગળ લઈ જઈ શકે છે. લંચ ટાઇમ સુધી સેન્ચુરી થવી જ જોઈએ એવું પણ કોઈ પ્રેશર તેના પર નાખવામાં નથી આવ્યું. રોહિત એક મેચ્યૉર પ્લેયર છે જે પોતાની ગેમથી સામેવાળી ટીમને ટક્કર આપી શકે છે.’

રોહિતે પોતાના ટેસ્ટ-કરીઅરમાં અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધારે રન કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2019 01:06 PM IST | વિશાખાપટ્ટનમ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK