Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટ સાથેની વાતચીત હંમેશાં મજેદાર રહે છે : રવિચન્દ્રન અશ્વિન

વિરાટ સાથેની વાતચીત હંમેશાં મજેદાર રહે છે : રવિચન્દ્રન અશ્વિન

07 May, 2020 05:48 PM IST | Chennai
Agencies

વિરાટ સાથેની વાતચીત હંમેશાં મજેદાર રહે છે : રવિચન્દ્રન અશ્વિન

રવિચન્દ્રન અશ્વિન

રવિચન્દ્રન અશ્વિન


ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઑફ સ્પીનર રવિચન્દ્રન અશ્વિને તાજેતરમાં ક્રિકેટ સાથે જોડાયેલી કેટલીક યાદગીરીઓની વાત વહેતી કરી હતી. અશ્વિને પોતાના ઘરમાં એ યાદગીરીઓના ભાગરૂપે અનેક વસ્તુઓ પણ રાખી મૂકી છે. આ વિશે વાત કરતાં અશ્વિને કહ્યું કે ‘જ્યારે પણ મને પાંચ વિકેટ મળે છે ત્યારે એ મૅચ મારા માટે યાદગીરી બની જાય છે. જ્યારે પણ મારું પર્ફોર્મન્સ સારું હોય છે ત્યારે હું એક સ્ટમ્પ ઉઠાવી લઉં છું. મારું ઘર એવી અનેક યાદોથી ભરેલું છે. હું ૭૧ ટેસ્ટ રમ્યો છું અને મેં અંદાજે ૬૦ જેટલી યાદો જમા કરી છે. સાથી પ્લેયરોની વાત કરું તો ચેતેશ્વર પુજારા, શિખર ધવન અને વિરાટ કોહલી સાથે સારો સમય પસાર કરવો મને ગમે છે. ચેતેશ્વર પુજારા તો મને ગમે છે, જ્યારે શિખર ધવન સાથે ઘણી મસ્તી કરું છું. વિરાટ સાથેની વાતચીત હંમેશાં મજેદાર હોય છે. હા, ભૂતપૂર્વ હેડ સ્ટ્રેન્થ ઍન્ડ કન્ડિશનિંગ કોચ શંકર બાસુ સાથે પણ મારા સારા સંબંધ છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2020 05:48 PM IST | Chennai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK