ગૌરવ ગિલની કારના અકસ્માતથી ત્રણનાં મોત
કારના અકસ્માતથી ત્રણના મોત
રાજસ્થાન : (પી.ટી.આઇ.) નૅશનલ રૅલી ચૅમ્પિયનશિપમાં ગઈ કાલે ગૌરવ ગિલની કારનો અકસ્માત થયો હતો જેમાં એક માઇનર સહિત ત્રણનાં મૃત્યુ થયાં હતાં. એફએમએસસીઆઇ ઇન્ડિયન નૅશનલ રૅલી ચૅમ્પિયનશિપ (આઇએનઆરસી)ના ત્રીજા રાઉન્ડમાં આ અકસ્માત થયો હતો જેમાં ૧૪૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડતી ગૌરવની કાર સાથે અથડાતાં નરેન્દ્ર, તેની પત્ની પુષ્પા અને પુત્ર જિતેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગૌરવ ઈજાગ્રસ્ત થતાં હૉસ્પિટલમાં ખસેડાયો હતો. આ અકસ્માત બાદ રૅલી કૅન્સલ કરવામાં આવી હતી.
આઇએનઆરસીના પ્રમોટર વામસી મેર્લાએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ગૌરવે બ્રેક લગાડવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો, પણ કારની સ્પીડ વધારે હોવાથી તે કશું કરી નહોતો શક્યો. જોકે રેસિંગ શરૂ થયાના ૧૫ દિવસ પહેલાં અમે ગામવાસીઓને રોડ બંધ હોવાની વૉર્નિંગ આપી હતી. રેસ દરમ્યાન નરેન્દ્ર અમારી વાત માનતો ન હતો અને ફીલ્ડ માર્શલનું ધ્યાન બીજી તરફ જતાં તે બૅરિકેટ્સ તોડીને ટ્રૅકમાં એન્ટર થયો હતો.’
ગૌરવ ગિલ અર્જુન અવૉર્ડ મેળવનારો ભારતનો પહેલો મોટરસ્પોર્ટ્સ-ડ્રાઇવર છે.