Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Egoના કારણે વર્લ્ડ કપના સેમીફાઈનલમાં મળી હારઃ વિરાટ કોહલી

Egoના કારણે વર્લ્ડ કપના સેમીફાઈનલમાં મળી હારઃ વિરાટ કોહલી

28 November, 2019 04:16 PM IST | Mumbai

Egoના કારણે વર્લ્ડ કપના સેમીફાઈનલમાં મળી હારઃ વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલી



વિરાટ કોહલી ન માત્ર સારા કેપ્ટન છે પરંતુ તેમણે સારા રન પણ કર્યા છે. તેમની બેટિંગને જોઈને લાગે કે તે ક્યારેય નિષ્ફળ નહીં જાય પરંતુ તેમને પણ નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. આઈસીસી વર્લ્ડ કપ 2019ના સેમીફાઈનલમાં વિરાટ ન્યૂઝીલેન્ડની સામે રન બનાવવામાં નિષ્ફળ રહ્યા અને આ વાત તેને આજે પણ ખટકે છે.

વિરાટે ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો કે તેઓ પણ એક સામાન્ય માણસ છે અને તેમને પણ હારજીતથી ફેર પડે છે. ટીમ માટે મહત્વનો મોકો હોય ત્યારે તેઓ નિષ્ફળ જાય તો તેમને પણ તકલીફ થાય છે.

Egoના કારણે મળી નિષ્ફળતા
ન્યૂઝીલેન્ડની સામે વિશ્વ કપના સેમીફાઈનલમાં ફ્લૉપ થવા પર કોહલીએ કહ્યું કે, મારા દિલમાં ખૂબ જ ભરોસો હતો કે હું નોટ આઉટ પાછો આવીશ અને ટીમના આગામી રાઉન્ડમાં પહોંચાડીશ. પરંતુ કદાચ આ મારો ઈગો હતો જે આવું કહી રહ્યો હતો કારણ કે તમે એવી કોઈ ચીજ વિશે કેમ બોલી શકો છો. તમારી અંદર એ સ્ટ્રોન્ગ ફીલિંગ હોય શકે છે કે પછી તમારામાં તેને કરવાની ખૂબ જ ઈચ્છા.

આ પણ જુઓઃ Aishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો




હારથી છે નફરત
કોહલીએ કહ્યું કે, "મને હારથી નફરત છે. હું મેદાનની બહાર આવીને એવું નથી કહેવા માંગતો કે હું આવુ કરી શકતો હતો. હું જ્યારે પણ મેદાન પર પગ મુકું છું તો એ સન્માનની વાત હોય છે. જ્યારે હું પાછો આવું તો ઈચ્છું છું કે મારા અંદરની ઊર્જા શૂન્ય રહે. ઈચ્છા એવી છે કે ભવિષ્યાના ક્રિકેટર્સ માટે એવો વારસો છોડીને જાઉં કે તેઓ કહે મારે પણ આ રીતે જ રમવું છે."


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2019 04:16 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK