ન્યુ ઝીલૅન્ડ માટે ટીમ આજે જાહેર કર્યા બાદ ૨૦મીએ રવાના થશે ટીમ ઇન્ડિયા
ન્યુ ઝીલૅન્ડ સામેની ટીમ આજે જાહેર કર્યા બાદ ટીમ ઇન્ડિયા ૨૦મીએ ડાયરેક્ટ બૅન્ગલોરથી રવાના થશે. ઇન્ડિયન ક્રિકેટ ટીમે ઘરઆંગણે આવેલી શ્રીલંકન ટીમને ટી૨૦ સિરીઝમાં ૨-૦થી મહાત આપીને ૨૦૨૦ની વિજયી શરૂઆત કરી છે. આ ટીમ હવે ૧૪ જાન્યુઆરીથી ઑસ્ટ્રેલિયા સામે ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે અને ત્યાર બાદ બાદ એ ન્યુ ઝીલૅન્ડ સાથે પાંચ ટી૨૦, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મૅચની સિરીઝ રમશે. ૧૪, ૧૭ અને ૧૯ જાન્યુઆરીએ ટીમ ઇન્ડિયા ઑૅસ્ટ્રેલિયા સામે ત્રણ વન-ડે મૅચ રમશે, જેમાં છેલ્લી મૅચ બૅન્ગલોરમાં રમ્યા બાદ ત્યાંથી જ ૨૦ જાન્યુઆરીએ તેઓ ન્યુ ઝીલૅન્ડ જવા રવાના થશે. ટી૨૦ સિરીઝ માટે હાર્દિક પંડ્યા ટીમમાં કમબૅક કરી શકે છે છતાં હજી સુધી કોઈ ચોક્કસ માહિતી જાહેર કરવામાં નથી આવી. સિલેક્ટરો દ્વારા આજે ન્યુ ઝીલૅન્ડ જનારી ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવશે.
ત્રણેય પ્લેયર સારું પર્ફોર્મ કરી રહ્યા છે. ખાસ કરીને રોહિત માટે ૨૦૧૯ શાનદાર રહ્યું. રાહુલે પણ છેલ્લા બે મહિનામાં ઘણો સારરો પર્ફોર્મન્સ આપ્યો છે. તે ખરેખર સારો પ્લેયર છે. હું પણ હવે પિક્ચરમાં આવી ગયો છું અને એ માટે મેં સારી તૈયારી કરી છે. - શિખર ધવન