IND VS AUS:શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર થશે
15 ફેબ્રુઆરીએ ટીમ સિલેક્શન
ન્યુઝીલેન્ડમાં T-20 સિરીઝ પછી ભારતને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T-20 અને વન-ડે સિરીઝ રમવાની છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ 15 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરશે આ ટીમમાં ખાસ પ્લેયરોના ફોર્મ સાથે તેમની પર વર્કલોડ પર ધ્યાન આપવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી સતત રમી રહેલા પ્લેયર્સને આરામ આપવા પર વિચાર આપવામાં આવી રહ્યો છે. નજીકના સમયમાં જ વર્લ્ડ કપ આવી રહ્યો છે ત્યારે પ્લેયર્સના ફોર્મ સાથે તેમની ફિટનેસ પણ એટલી જ મહત્વની છે. આ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયા પહેલા 2 T-20 રમશે અને ત્યારબાદ 5 વન-ડે મેચ રમશે.
હાલમાં જ ઓસ્ટ્રેલિયન ધરતી પર ભારતીય બ્રિગેડે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ અને વન-ડે સિરીઝ જીતી હતી. ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમે 40 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી હતી. હવે ભારતીય ટીમ ઘરઆંગણે પણ ઓસ્ટ્રેલિયાને હરાવશે. હાલ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડનો પ્રવાસ પૂરો કર્યો છે.
ADVERTISEMENT
ઉલ્લેખનય છે કે આ સિરીઝ ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને ટીમો માટે મહત્વની રહેશે. આ સિરીઝ પછી બન્ને ટીમો ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમશે. ભારતીય ટીમ ઓસ્ટ્રિલયા પછી ન્યુઝીલેન્ડના પ્રવાસ પર છે. માનવામાં આવી રહ્યું છે કે, ટીમના મહત્વના પ્લેયર્સ જે સતત રમી રહ્યા છે તેમને આરામ આપવામાં આવી શકે છે.