કોહલી સ્ટૅન્ડના ઉદ્ઘાટન માટે દિલ્હીમાં હાજર રહેશે ટીમ ઇન્ડિયા
દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશન (ડીડીસીએ) ગુરુવારે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં વિરાટ કોહલીના નામના સ્ટૅન્ડનું અનાવરણ કરશે, જેમાં આખી ટીમ ઇન્ડિયા હાજર રહેશે. આ ઇવેન્ટ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમના વેઇટલિફ્ટિંગ ઑડિટોરિયમમાં યોજાશે. ઇવેન્ટના આયોજકોએ પણ ટીમ ઇન્ડિયાના આ ફંક્શનમાં હાજર રહેવાની વાતની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો: વૉર્નરે ઓપનિંગ કરવાનું ચાલુ રાખવું જોઈએ : પૉન્ટિંગ
ADVERTISEMENT
આ ઇવેન્ટ બાદ ટીમ ઇન્ડિયા રવિવારથી સાઉથ આફ્રિકા સામે ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝ શરૂ કરશે. ટી૨૦ સિરીઝમાં સાઉથ આફ્રિકન ટીમની કમાન ક્વિન્ટન ડી કોકના હાથમાં સોંપવામાં આવી છે. ભારતીય સ્ક્વૉડમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને આરામ અપાયો છે, જ્યારે ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરાયો છે.