ઇંગ્લૅન્ડ સિરીઝની પહેલી બે ટેસ્ટ મૅચ માટે જાહેર થઈ ટીમ ઇન્ડિયા
પ્રતીકાત્મક તસવીર
આવતા મહિને પાંચમી તારીખથી શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝની પહેલી બે મૅચ માટે ટીમ ઇન્ડિયાના ૧૮ પ્લેયરોનો સ્ક્વૉડ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઈશાન્ત શર્મા અને અક્ષર પટેલનો સમાવેશ થયો છે. અન્ય પ્લેયરોના નામ આ પ્રમાણે છે. વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગરવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, વૃદ્ધિમાન સહા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, જસપ્રીત બુમરાહ, ઈશાન્ત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, અક્સર પટેલ.