Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ત્રીજી ટેસ્ટ : ભારતીય ટીમ જાહેર, સચિન-ભજ્જી યથાવત્

ત્રીજી ટેસ્ટ : ભારતીય ટીમ જાહેર, સચિન-ભજ્જી યથાવત્

27 November, 2012 07:45 AM IST |

ત્રીજી ટેસ્ટ : ભારતીય ટીમ જાહેર, સચિન-ભજ્જી યથાવત્

ત્રીજી ટેસ્ટ : ભારતીય ટીમ જાહેર, સચિન-ભજ્જી યથાવત્





મુંબઈ : તા. 27 નવેમ્બર

ઈંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની છેલ્લી બે ટેસ્ટ કોલકાતા અને નાગપુર માટે જાહેરાત કરવામાં આવેલી ભારતીય ટીમમાં હરભજન તથા સચિન તેંડુલકરને યથાવત રાખવામાં આવ્યા છે જ્યારે ઝડપી બોલર અશોક ડિંડા, ઈશાંત શર્મા, અજિંક્ય રહાણે અને મુરલી વિજયનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

બીસીબીઆઈના મુખ્ય પસંદગીકાર સંદિપ પાટીલની અધ્યક્ષતામાં પસંદગી સમીતિએ માસ્ટર બ્લાસ્ટર છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મમાં ચાલી રહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તથા મુંબઈ ટેસ્ટમાં માત્ર બે વિકેટ મેળવી શકનાર ઓફ સ્પિનર હરભજન સિંહ પર વિશ્વાસ મુકી તેમને ટીમમાં જાળવી રાખ્યા છે. તેવી જ રીતે ભવિષ્યની વિરાટ કોહલીને પણ ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે. પસંદગીકારોએ ઈજાગ્રસ્ત ઉમેશ યાદવના સ્થાને અશોક ડિંડા અને ઈશાંત શર્મા પર પસંદગી ઉતારી છે. જ્યારે અજીંક્ય રહાણે અને મુરલી વિજયને પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારત ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર છે.



Whatsapp-channel Whatsapp-channel

27 November, 2012 07:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK