ટી૨૦ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત
સૂર્યકુમાર યાદવ
ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વિટર દ્વારા ઇંગ્લૅન્ડ સામે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાનારી પાંચ ટી૨૦ મૅચની સિરીઝ માટેની ભારતીય ટીમની જાહેરાત કરી હતી. મુંબઈ ઇન્ડિયન્સ માટે આઇપીએલની પાછલી સીઝનમાં કમાલ કરનાર ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને પહેલી વાર ટી૨૦માં રમવાની તક આપવામાં આવી છે. તો વળી વરુણ ચક્રવર્તીએ ટીમમાં કમબૅક કર્યું છે.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા (વાઇસ કૅપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.