Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શોએબનો ઇરાદો બુક વેચીને પુષ્કળ પૈસા કમાઈ લેવાનો : શાહરુખ ખાન

શોએબનો ઇરાદો બુક વેચીને પુષ્કળ પૈસા કમાઈ લેવાનો : શાહરુખ ખાન

28 September, 2011 04:22 PM IST |

શોએબનો ઇરાદો બુક વેચીને પુષ્કળ પૈસા કમાઈ લેવાનો : શાહરુખ ખાન

શોએબનો ઇરાદો બુક વેચીને પુષ્કળ પૈસા કમાઈ લેવાનો : શાહરુખ ખાન


 

કિંગ ખાને કહ્યું કે આ ફાસ્ટ બોલરે વિવાદો ઊભા કરીને જાળ બિછાવી છે, પણ આપણે એની ચર્ચા કરીને એમાં ફસાવું ન જોઈએ


શોએબે આત્મકથામાં શાહરુખ વિશે આ પ્રમાણે લખ્યું છે : શાહરુખ ખાને મારી સાથે ચીટિંગ કરી છે. હું આઇપીએલમાં નથી રમી શક્તો એ માટે અમુક અંશે શાહરુખ તેમ જ આઇપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જવાબદાર છે. જોકે શાહરુખ વિશે મારે એ પણ કહેવું છે કે હું કલકત્તાની ટીમમાં હતો ત્યારે તે મને નાના ભાઈ જેવો ગણતો હતો.




શાહરુખે શોએબના આક્ષેપો પર આપેલા પ્રત્યાઘાતમાં સાવચેત રહેવાનો સંકેત આપ્યો છે : મને તો લાગે છે કે શોએબનો આશય આત્મકથામાં મારા વિશેના આક્ષેપો સહિતની અનેક વિવાદાસ્પદ વાતો સામેલ કરીને પુષ્કળ પૈસા કમાઈ લેવાનો છે. તે આવી બધી વાતો લખે તો જ તેની બુક વેચાયને! તે કલકત્તાની ટીમમાં હતો ત્યારે કે ત્યાર બાદ તેની સાથે અંગત રીતે મારો કોઈ અણબનાવ નહોતો. હું તો કહું છું કે આપણે બધાએ તેની વાતોની ચર્ચા કરવાને બદલે બીજી જરૂરી બાબતો પર ધ્યાન આપવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2011 04:22 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK