Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઍન્જિયોપ્લાસ્ટી બાદ દાદા હવે ઑકે છે

ઍન્જિયોપ્લાસ્ટી બાદ દાદા હવે ઑકે છે

04 January, 2021 04:25 PM IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍન્જિયોપ્લાસ્ટી બાદ દાદા હવે ઑકે છે

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી


ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીને હાર્ટ-અટૅકનો હળવો હુમલો આવ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં દાખલ થયા બાદ તેમની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે સફળ રહી હતી. ડૉક્ટરે જણાવ્યા પ્રમાણે દાદાની હાલત હવે સ્થિર છે અને બે-ત્રણ દિવસમાં તેમને ડિસ્ચાર્જ મળી જશે.

ગઈ કાલે ડૉક્ટરોએ વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે સૌરવ ગાંગુલીની કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી જે નેગેટિવ હતી. તેમને તાવ પણ નથી, જે રાહતના સમાચાર છે. આજે ડૉક્ટરો ફરી તેમની તબિયત ચકાસીને આગળની ટ્રીટમેન્ટ વિશે ચર્ચા કરશે.


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2021 04:25 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK