Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોરોનાની સ્થિતિથી અપસેટ થઈ દાદાએ કહ્યું, મારે આનો જલદીથી ઉકેલ લાવવો છે

કોરોનાની સ્થિતિથી અપસેટ થઈ દાદાએ કહ્યું, મારે આનો જલદીથી ઉકેલ લાવવો છે

04 May, 2020 12:21 PM IST | Kolkata
Agencies

કોરોનાની સ્થિતિથી અપસેટ થઈ દાદાએ કહ્યું, મારે આનો જલદીથી ઉકેલ લાવવો છે

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી


ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી કોરોનાને લીધે સર્જાયેલી પરિસ્થિતિથી ઘણા અપસેટ થયા છે અને એનો જલદીથી ઉકેલ લાવવા માગે છે.

ગાંગુલીએ કહ્યું કે ‘આપણે એક મહિનાથી વધારે સમય સુધી લૉકડાઉનમાં છીએ. શરૂઆતમાં તો મને કંઈ વાંધો નહોતો. મારી જીવનશૈલી એવી છે કે મારે રોજેરોજ ટ્રાવેલિંગ કરવું પડે છે. હમણાં પરિવાર સાથે સમય વિતાવવો ગમે છે, કેમ કે લાંબા સમય બાદ મને આ તક મળી છે, પણ સાથે-સાથે લોકોની રોજની પરિસ્થિતિ જોઈને હું ઘણો અપસેટ થઈ જાઉં છું કેમ કે બહાર ઘણા બધા લોકોને અસર પહોંચી રહી છે. આપણે હજી સુધી આ બીમારીની દવા શોધી શક્યા નથી. વિશ્વનું જે વાતાવરણ છે એ જોઈને મને ચિંતા થાય છે. ક્યારે આ બધું થાળે પડશે એની કંઈ ખબર નથી. આ બીમારીને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મારા ઘરે ગ્રોસરી, શાકભાજીવાળા આવે છે જેથી મને વધારે ચિંતા થાય છે. હું આ બધાનો જલદીથી ઉકેલ લાવવા માગું છું.’


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2020 12:21 PM IST | Kolkata | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK