Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ કોહલી-અનુષ્કા લંડનમાં ફરતા જોવા મળ્યા

વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ કોહલી-અનુષ્કા લંડનમાં ફરતા જોવા મળ્યા

14 July, 2019 11:50 PM IST | Mumbai

વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ કોહલી-અનુષ્કા લંડનમાં ફરતા જોવા મળ્યા

વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ કોહલી-અનુષ્કા લંડનમાં ફરતા જોવા મળ્યા


Mumbai : ભારતીય ટીમ વર્લ્ડ કપ 2019માં સેમી ફાઇનલમાં હારીને બહાર થઇ ગઇ છે. આ હારે કરોડો ભારતીયોનાં દિલ તોડી દીધા. સોશિયલ મીડિયા પર જ્યાં કેટલાક ફેન્સ ભારતીય ટીમનાં સમર્થનમાં લખી રહ્યા છે તો કેટલાક ફેન્સ ટ્રોલ કરી રહ્યા છે. આ દરમિયાન એકવાર ફરી ફેન્સનાં નિશાને વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આવ્યા છે. બંને લંડનમાં જ છે અને સાથે સમય પસાર કરી રહ્યા છે.


એક યૂઝરે લખ્યું કે, ‘અમને હજુ અહીં હ્રદયમાં ઝાટકા વાગી રહ્યા છે અને આ ત્યાં ફરી રહ્યા છે.’ તો એક અન્ય યૂઝરે લખ્યું કે, ‘ટાઇમ સ્પેન્ડ કરવા તો ગયા છે. રમતમાં તો ધ્યાન લાગ્યું નહીં.’ તો વિરાટ કોહલીનાં ફેન ક્લબે તસવીર શેર કરતા કહ્યું કે, ‘તમારો જ પ્રેમ હશે હવામાં, અમારો તો તમે ખોઈ દીધો નહીં તો આજે ફાઇનલમાં હોત.’



 
 
 
View this post on Instagram

#anushkasharma and #viratkohli spending good time in London

A post shared by Viral Bhayani (@viralbhayani) onJul 13, 2019 at 12:38pm PDT




એક અન્ય યૂઝરે લખ્યું છે કે, ‘જ્યાં કેટલાક લોકો હજુ પણ હારને ભૂલી શક્યા નથી ત્યાં આ લોકોની અલગ જ દુનિયા છે.’ કેટલાક લોકોએ તો અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સેમિ-ફાઇનલમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 18 રને પરાજય થયો હતો. આ મેચમાં વિરાટ કોહલી ફક્ત 1 રન મારીને આઉટ થયો હતો. આ ઉપરાંત આંકડાઓને જોઇએ તો વિરાટ કોહલી આઈસીસી ટૂર્નામેન્ટની મોટી મેચો (સેમિ-ફાઇનલ, ફાઇનલ) માં ફ્લૉપ રહ્યો છે અને એકપણ અડધી સદી કે સદી ફટકારી શક્યો નથી.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 11:50 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK