Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સિડની ટેસ્ટમાં શાર્દુલ ઠાકુરને મળશે તક, ઈજાને કારણે ઉમેશ સિરીઝમાંથી આઉટ

સિડની ટેસ્ટમાં શાર્દુલ ઠાકુરને મળશે તક, ઈજાને કારણે ઉમેશ સિરીઝમાંથી આઉટ

01 January, 2021 12:25 PM IST | Sydney
Agency

સિડની ટેસ્ટમાં શાર્દુલ ઠાકુરને મળશે તક, ઈજાને કારણે ઉમેશ સિરીઝમાંથી આઉટ

શાર્દુલ ઠાકુર

શાર્દુલ ઠાકુર


સિડની ટેસ્ટ શરૂ થતાં પહેલાં ટીમ ઇન્ડિયાની ઉમેશ યાદવના રૂપે વિકેટ પડી ગઈ છે. બીજી ટેસ્ટ મૅચ દરમ્યાન ઈજાગ્રસ્ત થયો હોવાને લીધે ઉમેશ યાદવ ચાલુ મૅચમાંથી બહાર ગયો હતો. હવે સાતમી જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મૅચ માટે ટીમ ઇન્ડિયા ટી. નટરાજન કરતાં શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરી શકે છે.

umesh-yadav



ઉમેશ યાદવ


પ્રાપ્ત સમાચાર મુજબ સિરીઝમાંથી બહાર થતો ઉમેશ ચોથી ટેસ્ટ મૅચ પણ નહીં રમી શકે અને રીહૅબિલિટેશન માટે ભારત પાછો આવશે. વળી ટી. નટરાજનના અદ્ભુત પ્રદર્શનથી સૌકોઈ ખુશ છે, પણ તે માત્ર એક જ ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યો હોવાને લીધે ટીમ માટે શાર્દુલ ઠાકુર એક સારો વિકલ્પ રહી શકશે, જે મુંબઈ માટે ઘણી સ્થાનિક ક્રિકેટ રમ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પોતાની પહેલી ટેસ્ટ વખતે ઈજાગ્રસ્ત થતાં શાર્દુલ એક પણ ઓવર નાખ્યા વગર ટીમમાંથી બહાર થઈ ગયો હતો. પ્લેઇંગ ઇલેવનમાં તે ઉમેશ યાદવની જગ્યા લઈ શકે છે. જોકે આ બાબતે અંતિમ નિર્ણય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ-કોચ ભરત અરુણ અને કૅપ્ટન અજિંક્ય રહાણે સિડની પહોંચ્યા બાદ લેશે.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2021 12:25 PM IST | Sydney | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK