IPL 2020:આઇપીએલના પોસ્ટપોન્ડ વિશે શાહરુખ ખાને કહ્યું...
શાહરુખ ખાન
શાહરુખ ખાનનું કહેવું છે કે દર્શકોની સેફ્ટી જરૂરી છે. કોરોના વાઇરસને કારણે આઇપીએલને ૧૫ એપ્રિલ સુધી પોસ્ટપોન્ડ કરવામાં આવી છે. જોકે આઇપીએલની ફ્રૅન્ચાઇઝીના માલિકોએ ગઈ કાલે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં હાજરી આપી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના હેડક્વૉર્ટરમાં ઑર્ગેનાઇઝર્સ અને ૮ ટીમના માલિકોએ મીટિંગ કરી હતી. આ વિશે શાહરુખે ટ્વીટ કર્યું હતુ, ‘ફ્રૅન્ચાઇઝીના માલિકોને ફીલ્ડની બહાર મળીને ઘણી ખુશી થઈ. ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઇપીએલ દ્વારા આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ અમે શું વિચારી રહ્યા છીએ એ જાણવાનો હતો. અમે જે શહેરમાં રમી રહ્યા છે એની, પ્લેયર્સ મૅનેજમેન્ટની અને તમામ દર્શકોની સેફ્ટી અમારા માટે ખૂબ મહત્ત્વની છે. હેલ્થ એજન્સી અને સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ આદેશને ફૉલો કરવામાં આવશે. આશા રાખું છું કે આ વાઇરસ અટકે અને શો જલદી શરૂ કરવામાં આવે. ભારતીય ક્રિકેટ બોર્ડ અને ટીમના માલિકો સરકાર સાથે મળીને ચર્ચા કરી રહ્યાં છે અને દરેક વ્યક્તિની હેલ્થને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. દરેકને મળીને અને વારંવાર પોતાને સૅનિટાઇઝ કરીને ખુશી થઈ.’
પબ્લિકની હેલ્થને ધ્યાનમાં રાખીને આઇપીએલના ભવિષ્યનો નિર્ણય લેશે ભારતીય ક્રિકેટ બોર્ડ
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે તેઓ પબ્લિકની હેલ્થને ધ્યાનમાં રાખીને જ આઇપીએલનો નિર્ણય લેશે. આઇપીએલની ટીમના માલિક અને ક્રિકેટ બોર્ડ દ્વારા ગઈ કાલે મીટિંગ કરવામાં આવી હતી. આ મીટિંગ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે ‘ભારત સરકાર, સ્ટેટ ગવર્નમેન્ટ્સ અને અન્ય સંસ્થા સાથે મળીને ભારતીય ક્રિકેટ બોર્ડ કામ કરી રહ્યું છે. પબ્લિકની હેલ્થના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને જ આઇપીએલના ભવિષ્ય માટે નિર્ણય લેવામાં આવશે.’