ICCએ BCCIની માંગ ફગાવી: પાકિસ્તાન ક્રિકેટને બેન કરવાનો કર્યો ઇનકાર
ICCએ BCCIને આપ્યો ઝટકો
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બીસીસીઆઈને ઝટકો આપ્યો છે. ICCએ બીસીસીઆઈની આતંકને પ્રોત્સાહન આપતા દેશો સાથે ક્રિકેટ સંબંધો બંધ કરવાની વિનંતીને નકારી કાઢી છે. ICCએ કહ્યું કે એમની આ ઘટનામાં કોઈ ભૂમિકા નથી. પુલવામાં આતંકવાદી હુમલા બાદ બીસીસીઆઈએ ICCને પત્ર લખીને આતંકવાદને વધારો આપનારા દેશથી સંબંધ સમાપ્ત કરવાની માંગ કરી હતી.
આઈસીસી અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે કોઈ રાષ્ટ્રને બહિષ્કાર કરવાનો નિર્ણ સરકારી સ્તર પર લેવામાં આવે છે અને આઈસીસીમાં એવો કોઈ નિયમ નથી. આ મુદ્દો શનિવારે આઈસીસી બોર્ડની બેઠક દરમિયાન સામે આવ્યો, જેના પ્રમુખ ચેરમેન શશાંક મનોહરે કરી હતી, પરંતુ આના પર વધારે સમય સુધી ચર્ચ નહોતી થઈ.
ADVERTISEMENT
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે બોર્ડને બધું જ ખબર હતુ, છતાં પણ તેમણે આ મામલાને આઈસીસીના સામે ઉઠાવ્યો. બીસીસીઆઈના પત્રમાં પાકિસ્તાનના કોઈ વિશેષ સંદર્ભ નહીં હતા, જેમાં ભારત દ્વારા આતંકવાદીઓને શરણ આપવાનો આરોપ લગાવ્યો છે. આ બેઠકમાં સચિવ અમિતાભ ચૌધરીએ બીસીસીઆઈનું પ્રતિનિધિત્વ કર્યું.
ભારતીય ક્રિકેટ ટીમ 16 જૂને વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સાથે રમવાની છે. પુલવામાં હુમલા બાદ ભારતના હરભજન સિંહ અને સૌરવ ગાંગુલી જેવા પ્રમુખ ખિલાડીઓએ આ મેચનો બહિષ્કાર કરવાનો આગ્રહ કર્યો છે. જોકે બીસીસીઆઈએ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સાથે મેચ નહીં રમવાનો નિર્ણય સરકાર પર છોડી દીધો છે.