સેહવાગ T20 ઇન્ટરનૅશનલ છોડી રહ્યો હોવાની જોરદાર અફવા
ADVERTISEMENT
નવી દિલ્હી:
અખબારે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને છાપેલા અહેવાલમાં કહ્યું હતું કે સેહવાગે બોર્ડને જાણ કરી છે કે તે ટેસ્ટ અને વન-ડે રમવા પર વધુ ધ્યાન આપવા માગે છે, ફિટનેસ સુધારવા માગે છે અને T20 ઇન્ટરનૅશનલના સંઘર્ષનો વધુ સામનો કરવા અક્ષમ છે એટલે હવે આ સૌથી નાના ફૉર્મેટની ક્રિકેટને ગુડબાય કરવા માગે છે.
જોકે વીરુએ ટ્વિટર પર ખુલાસામાં કહ્યું હતું કે ‘વધુ એક પાયા વગરના સમાચાર ફેલાયા છે. હું T20 ઇન્ટરનૅશનલ છોડી દેવા માગું છું એવી કોઈ જાણ મેં ક્રિકેટ બોર્ડને નથી કરી. હું આવતા મહિને ઇંગ્લૅન્ડ સામે રમાનારી T20 સિરીઝમાં રમવા તૈયાર છું.’