સચિનને કારની બારીમાં સન ફિલ્મ ન રાખવાના નિયમમાંથી મુક્તિ જોઈએ છે?
Published: 16th November, 2012 03:42 IST
જે કારની બારીમાં સન ફિલ્મ લગાવવામાં આવી હોય એ હટાવડાવી દેવાના સુપ્રીમ કોર્ટના આદેશથી મુંબઈ પોલીસે પગલાં લેવાની શરૂઆત કરી છે, પરંતુ સેલિબ્રિટીઝ આ નિયમથી પોતાની સલામતીની બાબતમાં ખૂબ ચિંતિત છે. એક અખબારી રિપોર્ટ મુજબ સચિન તેન્ડુલકરનો પરિવાર આ રૂલમાંથી મુક્તિ ઇચ્છે છે.
કહેવાય છે કે લિટલ ચૅમ્પિયનના પરિવારે થોડા દિવસ પહેલાં એક સિનિયર પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો હતો અને પોલીસ સચિનને કારની બારીમાંથી સન ફિલ્મ દૂર કરવાની ફરજ પાડશે તો સચિનની સલામતી ભયમાં મૂકાઈ શકે એવી ચિંતા વ્યક્ત કરી હતી. જોકે એ અધિકારીએ પરિવારને આ નિયમમાંથી મુક્તિ મેળવવા સત્તાવાર રીતે વિનંતી કરવાની સલાહ આપી હતી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK