Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઍશિઝ સિરીઝમાં નિષ્ફળતા છતાં કૅપ્ટન તરીકે ફરજ બજાવવી છે રૂટને

ઍશિઝ સિરીઝમાં નિષ્ફળતા છતાં કૅપ્ટન તરીકે ફરજ બજાવવી છે રૂટને

10 September, 2019 01:54 PM IST |

ઍશિઝ સિરીઝમાં નિષ્ફળતા છતાં કૅપ્ટન તરીકે ફરજ બજાવવી છે રૂટને

ઍશિઝ સિરીઝમાં નિષ્ફળતા છતાં કૅપ્ટન તરીકે ફરજ બજાવવી છે રૂટને


ઍશિઝ સિરીઝ ફરીથી ન જીતી શકનાર જો રૂટે ઇંગ્લૅન્ડની કૅપ્ટન્સીને જાળવી રાખવી છે. ગયા વર્ષે ઑસ્ટ્રેલિયામાં ૦-૪થી ઍશિઝ સિરીઝ હારનાર ઇંગ્લૅન્ડની ટીમ આ વખતે ઍશિઝ જીતવા માટે ફેવરિટ હતી. જોકે ચોથી ટેસ્ટમાં તેઓ ૧૮૫ રને હારતાં સ્કોરલાઇન ૨-૧ થઈ છે. જો પાંચમી ટેસ્ટમાં તેઓ જીતશે તો પણ તેઓ ઍશિઝ નહીં જીતી શકે.

આ વિશે ૨૮ વર્ષના રૂટે કહ્યું હતું કે ‘યસ, હું કૅપ્ટન્સી કરવાનું ડેફિનેટલી ચાલું રાખીશ. આપણે જ્યારે સિરીઝ હારીએ ત્યારે દુ:ખ થાય છે. પ્લેયર તરીકે અને ટીમ તરીકે કયા એરિયામાં ઇમ્પ્રૂ‍વમેન્ટની જરૂર છે એ જાણવું જરૂરી છે. મને ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમની કૅપ્ટન્સી કરવા મળી એ બહુ સારી વાત છે અને હું બેસ્ટ આપવા માટે વધારે મહેનત કરવાનું ચાલુ રાખીશ. અમે ઓવલમાં જીત મેળવીને ઘરઆંગણે ઍશિઝ ન હારવાનો ૧૮ વર્ષનો રેકૉર્ડ અકબંધ રાખીશું.’



આ પણ વાંચો: અશ્વિન હજું પણ ભારતનો નંબર 1 સ્પિનર છે : અનિલ કુંબલે


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2019 01:54 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK