ટેસ્ટમાં પણ રોહિત પાસે ઓપનિંગ કરાવવું જોઈએ : સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલીનું કહેવું છે કે વર્લ્ડ કપમાં હિટ રહેલા બૅટ્સમૅન રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનિંગ માટે ચાન્સ આપવો જોઈએ. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ગાંગુલીએ કહ્યું હતું કે રોહિતને ઓપનિંગમાં મોકલી ઇન્ડિયાએ ચાન્સ લેવો જોઈએ. જોકે ઇન્ડિયન ટીમે બન્ને ટેસ્ટ મૅચમાં રોહિતને નહોતો રમાડ્યો. આ વિશે ગાંગુલીનું કહેવું છે કે ‘ટેસ્ટ ક્રિકેટમાં રોહિતને ઓપનિંગમાં મોકલવા માટે મેં અગાઉ પણ સજેસ્ટ કર્યું હતું. મને તેના પર હજી પણ વિશ્વાસ છે, કારણ કે તે ખૂબ સારો પ્લેયર છે એથી તેને તક આપવી જરૂરી છે. વર્લ્ડ કપમાં તેના અદ્ભુત પ્રદર્શન બાદ મને આશા હતી કે તેને ટેસ્ટમાં ઓપનિંગ માટે ચાન્સ મળશે.
આ પણ વાંચો : સ્મિથનો આતંક: ચોથી એસિઝ ટેસ્ટમાં ફટકાર્યા 211 રન
ADVERTISEMENT
અજિંક્ય રહાણે અને હનુમા વિહારી બાદ મિડલ ઑર્ડરમાં કંઈ બચતું નથી. આપણે ઓપનિંગ પ્લેયર પર હજી કામ કરવું જોઈએ. મયંક અરગવાલ સારો દેખાવ કરી રહ્યો છે, પરંતુ તેને હજી તક આપવી જરૂરી છે. કે. એલ. રાહુલ નિષ્ફળ જઈ રહ્યો છે એથી તેની જગ્યાએ રોહિતને તક આપી શકાય.’