શું આપણે રાક્ષસ છીએ? આવું શું કામ કહ્યું રોહિત શર્માએ
રોહિત શર્મા
કેરળમાં એક ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલું પાઇનૅપલ ખવડાવીને જે ક્રૂરતા આચરવામાં આવી એનાથી સમગ્ર દેશમાં ક્રોધાગ્નિ ફાટી નીકળ્યો છે. સ્પોર્ટ્સ-પર્સન પણ એ ઘટનાને લઈને દુઃખ અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને તીખા સવાલનો મારો કર્યો હતો. રોહિતે કહ્યું કે ‘આપણે જંગલી છીએ. શું આપણે કંઈ શીખી નથી રહ્યા? કેરળમાં હાથી સાથે જે ઘટના બની એ ખરેખર દુખદ છે. કોઈ પણ પ્રાણી પ્રત્યે ક્રૂરતા ન દેખાડવી જોઈએ.’
લોકોને અપીલ કરતાં વિરાટ કોહલીએ કહ્યું કે ‘કેરળમાં બનેલી ઘટનાની જાણકારી મને મળી. ચાલો આપણાં પ્રાણીઓને પ્રેમ અને સ્નેહથી ઉછેરીએ અને તેમના પ્રત્યેનું આ હિંસક કૃત્ય બંધ કરીએ.’
ADVERTISEMENT
રોહિત શર્મા અને વિરાટ કોહલી ઉપરાંત સાઇના નેહવાલ તથા સુનીલ છેત્રી જેવા અને દિગ્ગજ સ્પોર્ટ્સ-પર્સન્સે આ હિંસક કૃત્ય પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ ઉપરાંત સોશ્યલ મીડિયામાં આ ઘટનાને વર્ણવતા કેટલાક મીમ્સ પણ વાઇરલ થયા છે.