Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત શર્મા અને મયંકે કરવી જોઈએ ઓપનિંગ : ગાવસકર

રોહિત શર્મા અને મયંકે કરવી જોઈએ ઓપનિંગ : ગાવસકર

01 January, 2021 10:56 AM IST | New Delhi

રોહિત શર્મા અને મયંકે કરવી જોઈએ ઓપનિંગ : ગાવસકર

સુનીલ ગાવસકર

સુનીલ ગાવસકર


ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર સુનીલ ગાવસકરનું કહેવું છે કે ૭ જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મૅચમાં રોહિત શર્મા અને મયંક અગરવાલે ઓપનિંગ કરવી જોઈએ અને ટીમે હનુમા વિહારીને એ મૅચમાંથી ડ્રૉપ કરવો જોઈએ.

પોતાના વિચાર જણાવતાં સુનીલ ગાવસકરે કહ્યું કે ‘મને લાગે છે કે ટીમ ઇન્ડિયાએ રોહિત શર્મા અને મયંક અગરવાલ પાસે ટીમની ઓપનિંગ કરાવવી જોઈએ અને રોહિત આવ્યા પછી શુભમન ગિલને ત્રીજા નંબરે બૅટિંગ માટે મોકલવો જોઈએ અને હનુમા વિહારીને ટીમમાંથી ડ્રૉપ કરવો જોઈએ.’



રોહિત શર્માન આવવાથી ટીમ કયા પ્લેયરને લઈને મેદાનમાં ઊતરે અને કયા પ્લેયરને ડ્રૉપ કરે છે એ પ્રશ્ન માથાનો દુખાવો બની ગયો છે. મયંકે ઑસ્ટ્રેલિયા સામેની બે મૅચની ચાર ઇનિંગમાં ૩૧ રન બનાવ્યા છે, જ્યારે વિહારીએ ત્રણ ઇનિંગમાં ૪૫ રન બનાવ્યા છે. આ ઉપરાંત ગાવસકરે રહાણેની ઐતિહાસિક સેન્ચુરીનાં પણ વખાણ કર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2021 10:56 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK