ઇન્જર્ડ થયા બાદ રોહિત ફિટ
નવી દિલ્હી : (આઇ.એ.એન.એસ.) ભારત અને બંગલા દેશ વચ્ચેની પહેલી ટી૨૦ મૅચ આવતી કાલે રમાવાની છે, પણ આ ટી૨૦ સિરીઝ પહેલાં ભારત માટે માઠા સમાચાર આવતાં-આવતાં રહી ગયા હતા. વાસ્તવમાં ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી રહેલા રોહિત શર્માને ડાબા ઘૂંટણની ઉપર જાંઘ પર બૉલ વાગ્યો હતો અને ત્યાર બાદ તે પ્રૅક્ટિસ-સેશન અધવચ્ચે મૂકીને ચાલ્યો ગયો હતો. જોકે પછીથી ભારતીય ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમે જાહેર કર્યું હતું કે રોહિત એકદમ ફિટ છે અને તે બંગલા દેશ સામેની ટી૨૦ મૅચ રમી શકશે.