પંતને ગાઇડ કરવા યુવીની કોહલીને ભલામણ
વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમમાં છેલ્લા કેટલાક સમયથી પોતાના નબળા પ્રદર્શનને કારણે આલોચનાનો શિકાર બની રહેલા રિષભ પંતને ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહનો ટેકો મળ્યો છે. પંતને ટેકો આપતાં તેણે ટીમ ઇન્ડિયાના કોચ અને કૅપ્ટનને ભલામણ કરી હતી. આ બાબતે યુવરાજ સિંહનું કહેવું છે કે ‘મને ખબર નથી પડતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. તેની ઘણીબધી ટીકા થઈ રહી છે, જે જરૂરી નથી. તેનામાંથી સારું બહાર લાવવા માટે કોઈકે આગળ આવવું પડશે. ટીમ ઇન્ડિયાના કોચ અને કૅપ્ટન તેને જોઈ રહ્યા છે અને તેમણે પંતને ગાઇડ કરવો જોઈએ.’
આ પણ વાંચો : ધોનીના ભવિષ્ય પર ચર્ચા ન કરી શકાય, એ નિર્ણય માત્ર તેનો છે : યુવરાજ સિંહ
ADVERTISEMENT
પંતની વાતમાં વધુ ઉમેરતાં યુવીએ કહ્યું હતું કે ‘તમે પંતમાંથી સારો પ્લેયર કઈ રીતે બહાર લાવો છે એ તેના કૅરૅક્ટર પર આધાર રાખે છે. તમારે સૌથી પહેલાં તેનું કૅરૅક્ટર સમજવું પડશે. તેની વિચારધારાને ઓળખીને આગળ વધશો તો તેનામાંથી સારો પ્લેયર મળી રહેશે. તમે વારંવાર તેની ટીકા કરશો તો તેનામાંથી સારી ગેમ બહાર આવવી અઘરી છે.’