જાડેજાની ઈજા ગંભીર, આખી સિરીઝમાંથી થઈ શકે આઉટ
રવીન્દ્ર જાડેજા
પહેલી ટેસ્ટ મૅચમાં મોટા માર્જિનથી હાર્યા બાદ ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં કમબૅક કરવા માટેની રણનીતિ ઘડી રહી છે ત્યારે ચિંતા વધારે એવા સમાચાર આવ્યા છે. ટીમનો ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા જે સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં ઈજા પામ્યો હતો તેની ઈજા હજી પણ ગંભીર હોવાને લીધે તે ઇંગ્લૅન્ડ સામેની સંપૂર્ણ ટેસ્ટ-સિરીઝમાંથી બહાર થઈ શકે છે.