Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોહલીની ગેરહાજરી અન્ય માટે તક બનશે : રવિ શાસ્ત્રી

કોહલીની ગેરહાજરી અન્ય માટે તક બનશે : રવિ શાસ્ત્રી

24 November, 2020 03:13 PM IST | Sydney
IANS

કોહલીની ગેરહાજરી અન્ય માટે તક બનશે : રવિ શાસ્ત્રી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મૅચ બાદ ભારત પાછો આવી રહ્યો છે એવામાં ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ટીમમાં તેની ખાલી થનારી જગ્યાએ અન્ય પ્લેયરને રમવાની તક મળશે.
આ સંદર્ભે શાસ્ત્રીએ કહ્યું કે ‘મારા ખ્યાલથી તેનો નિર્ણય યોગ્ય છે. આવી ક્ષણ જીવનમાં વારંવાર નથી આવતી. તેને આ તક મળી છે અને તે સ્વદેશ પાછો જાય છે. મારા ખ્યાલથી તે પોતે આ વિશે ઘણો ખુશ છે. છેલ્લાં પાંચ-છ વર્ષમાં તમે જોશો તો તમને ખબર પડશે કે ભારતની સફળતા પાછળ તેનું ઘણું મોટું યોગદાન છે અને એ વાતમાં કોઈ બેમત નથી. અમે ચોક્કસ તેને મિસ કરીશું, પણ સાથે-સાથે મારે એમ પણ કહેવું જોઈએ કે તેની ગેરહાજરીને લીધે અન્ય પ્લેયરને રમવાની તક મળશે. ટીમ પાસે અન્ય એવા ઘણા પ્લેયર છે જે તકની રાહ જોઈ રહ્યા છે. કદાચ, તેમને માટે આ તક છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2020 03:13 PM IST | Sydney | IANS

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK