Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચેન્નઈમાં હજી પણ લોકો એકબીજાથી અંતર નથી રાખતા : રવિચંદ્રન અશ્વિન

ચેન્નઈમાં હજી પણ લોકો એકબીજાથી અંતર નથી રાખતા : રવિચંદ્રન અશ્વિન

17 March, 2020 12:06 PM IST | Chennai
Agencies

ચેન્નઈમાં હજી પણ લોકો એકબીજાથી અંતર નથી રાખતા : રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન


કોરોના વાઇરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો હોવા છતાં ચેન્નઈના લોકો જે રીતે એને હૅન્ડલ કરી રહ્યા છે એ જોઈને રવિચંદ્રન અશ્વિન ખૂબ નારાજ છે. હેલ્થ એજન્સી અને સરકાર દ્વારા લોકોને એકબીજાથી દૂર રહેવા અને સોશ્યલાઇઝ ન થવા માટે કહેવામાં આવ્યું છે. જોકે ચેન્નઈના લાકોનું માનવું છે કે ઉનાળો આવવાથી આ વાઇરસ નષ્ટ થઈ જશે અથવા તો એવું લાગે છે કે તેમને કંઈ નહીં થાય. આ વિશે અશ્વિને ટ્વીટ કર્યું હતું કે ‘હું એ કહેવા માગું છું કે ચેન્નઈના લોકોમાં હજી સુધી એકબીજાથી અંતર રાખવાની વાત સમજમાં નથી આવી. ઉનાળો આવ્યો હોવાથી વાઇરસનો અંત આવશે અથવા તો તેમને કંઈ નહીં થાય એવા વિશ્વાસને કારણે તેઓ આવું કરી રહ્યા છે.’

સૌથી પહેલાં સેફટી, કોરોના વાઇરસ સામે સાવચેતી રાખો : ચેન્નઈ સુપર કિંગ્સ



ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રૅન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સે લોકોને વિનંતી કરી છે કે કોરોના વાઇરસથી બચવા માટે સાવચેતી રાખવી જોઈએ. મોટા ભાગના દેશ દ્વારા લોકોને વિદેશપ્રવાસ કરવા માટે ના પાડી દેવામાં આવી છે. આ પરિસ્થિતિ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘તમે રમતા હો ત્યારે રમો અને કામ કરતા હો ત્યારે કામ કરો. જોકે આ બધા કરતાં સેફ્ટી પહેલાં છે. કોરોના વાઇરસ સામે તમારાથી બનતી તમામ સાવચેતી રાખો.’


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2020 12:06 PM IST | Chennai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK