૪૦૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કરનાર એન્જિનિયર રવિચંદ્રન અશ્વિન કહે છે...
રવિચંદ્રન અશ્વિન
ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મૅચમાં સાત વિકેટ સાથે સૌથી ઝડપી ૪૦૦ ટેસ્ટ-વિકેટ લેનાર ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિન કહે છે કે એ તો હું અકસ્માતે ક્રિકેટર બની ગયો હતો. આ સંદર્ભે વાત કરતાં અશ્વિને કહ્યું કે ‘હું અકસ્માતે ક્રિકેટર બની ગયો હતો. વાસ્તવમાં હું એક સામાન્ય ક્રિકેટપ્રેમીમાંથી ક્રિકેટર બની ગયો છું. હું મારા સપનાની દુનિયા જીવી રહ્યો છું અને મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું ઇન્ડિયન જર્સી પહેરીને નૅશનલ ટીમ માટે રમીશ. હું જ્યારે પણ ટીમ માટે રમું છું અને ટીમની જીતમાં યોગદાન આપું છું ત્યારે પોતાને ભાગ્યશાળી સમજું છું. કોવિડકાળમાં મને સમજાયું કે હું ખરેખર કેટલો નસીબદાર છું કે ઇન્ડિયા માટે રમી રહ્યો છું. આઇપીએલ પછી પાછા ફર્યા બાદ હું ઑસ્ટ્રેલિયામાં રમીશ એવો મને ક્યારેય અંદાજ નહોતો. આથી હું માનું છું કે મારે માટે આ વધુ એક ગિફ્ટ છે, જે મને આ રમતને અનહદ પ્રેમ કરવા બદલ મળી રહી છે. ક્રિકેટે ઘણીબધી પ્રસિદ્ધિ સહિત ખૂબ બધું આપ્યું છે.’
આ ઉપરાંત અશ્વિને તાજેતરમાં ચેન્નઈ ટેસ્ટની સેન્ચુરી સહિતના લાજવાબ પર્ફોર્મન્સ માટેની પ્રેરણા લૉકડાઉન દરમ્યાન સચિન તેન્ડુલકર સહિતના લેજન્ડ ખેલાડીઓના જોયેલા વિડિયોને આપી હતી.
ADVERTISEMENT
વિરાટ કોહલીએ અશ્વિનને મૉડર્ન ડે લેજન્ડ ગણાવ્યો હતો.