Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નિત્યાનંદની શેખી પર અશ્વિનની ટીખળ

નિત્યાનંદની શેખી પર અશ્વિનની ટીખળ

05 December, 2019 01:24 PM IST | Mumbai

નિત્યાનંદની શેખી પર અશ્વિનની ટીખળ

અશ્વિન

અશ્વિન


સ્વામી નિત્યાનંદના ચાલી રહેલા વિવાદમાં ઇન્ડિયન બોલર રવિચન્દ્રન અશ્વિને હાલમાં એક ટીખળ કરી હતી. નિત્યાનંદે હાલમાં કહ્યું હતું કે તેણે પોતાનો કૈલાસા નામે એક દેશ સ્થાપ્યો છે જેના ધ્વજથી માંડી, સંવિધાન અને પ્રતિજ્ઞા પણ બનાવવામાં આવ્યાં છે. તેણે સાઉથ અમેરિકાના દેશ ઇક્વાડોરમાંના એક ટાપુને ખરીદીને એને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરી દીધું હતું. નિત્યાનંદની આ શેખીની ફિરકી લેતાં અશ્વિને ટ્વીટ કરી પૂછ્યું હતું કે ‘વિઝા મેળવવા માટેની શું પ્રક્રિયા છે? કે પછી ઑન અરાઇવલ મળશે?’
અશ્વિનની આ ટીખળ સોશ્યલ મીડિયામાં ઘણી વાઇરલ થઈ હતી. એક સમાચાર પ્રમાણે નિત્યાનંદે પોતાના દેશને હિન્દુ રાષ્ટ્ર ગણાવ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે તેની એક કૅબિનેટ અને વડા પ્રધાન પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2019 01:24 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK