Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પી.વી.સિંધુનું આ ટ્વીટ શા માટે થઈ રહ્યું છે વાયરલ?

પી.વી.સિંધુનું આ ટ્વીટ શા માટે થઈ રહ્યું છે વાયરલ?

02 November, 2020 09:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પી.વી.સિંધુનું આ ટ્વીટ શા માટે થઈ રહ્યું છે વાયરલ?

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ભારતીય બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુએ સોમવારે પોતાના એક ટ્વીટથી સૌને ચોંકાવી દીધા છે. પહેલાં તો તેણે મોટા અક્ષરોમાં લખ્યું- 'I RETIRE'.




ખેલાડીની આ પોસ્ટ જોઈને લોકો માનવા લાગ્યા કે તેણે સ્પોર્ટ્સમાંથી રિટાયરમેન્ટ લીધી છે, પરંતુ તેના ટ્વીટમાં વધુ એક પેજ હતું, જેના પર તેણે લખ્યું હતું કે નેગેટિવિટી, થાક, ડર અને અનિશ્ચિતતાથી રિટાયરમેન્ટ લઈ રહી છે, ન કે ખેલક્ષેત્રથી.

સિંધુએ આ ટ્વીટ લોકોમાં કોરોના વાઇરસ પ્રત્યે જાગરુકતા વધે એવા હેતુથી કર્યું હતું. તેણે ટ્વીટમાં વધુમાં લખ્યું છે કે 'આ મહામારી મારી આંખો ખોલનારી રહી. હું વિરોધી સામે લડવા માટે ઘણી મહેનત કરી શકું છું. ભરપૂર તાકાતની સાથે છેલ્લો શોટ મારી શકું છું. મેં પહેલાં પણ આવું કર્યું છે, હું ભવિષ્યમાં પણ કરી શકું છું, પરંતુ નજરે ન પડતા આ વાઇરસને કઈ રીતે હરાવવો, જેને સમગ્ર વિશ્વને જકડી રાખ્યો છે. ઘરમાં જ રહીને મહિનાઓ વીતી ગયા અને દરેક વખતે બહાર નીકળવા માટે આપણે પોતે જ પોતાની જાતને સવાલ કરીએ છીએ. આ બધી જ વસ્તુઓનો અનુભવ કરીએ છીએ અને ઓનલાઈન હૃદયભંગ થતી એટલી વાતો વાંચી કે હું મારી પોતાની જાતને એટલા સવાલ કરવા લાગી છું કે આપણે ક્યાં જીવી રહ્યા છીએ. ડેન્માર્ક ઓપનમાં ભારતની આગેવાની નહીં કરવાની વાત અંતિમ સ્ટ્રો હતો.'


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2020 09:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK