Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પુજારા એકાગ્રતાને મામલે સચિન કરતાં પણ આગળ : જસ્ટિન લૅન્ગર

પુજારા એકાગ્રતાને મામલે સચિન કરતાં પણ આગળ : જસ્ટિન લૅન્ગર

14 February, 2019 04:27 PM IST |

પુજારા એકાગ્રતાને મામલે સચિન કરતાં પણ આગળ : જસ્ટિન લૅન્ગર

ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેન્ગર

ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેન્ગર


ઑસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લૅન્ગરે ગઈ કાલે કહ્યું હતું કે તેણે કોઈ બૅટ્સમૅનમાં ચેતેશ્વર પુજારા જેટલી એકાગ્રતા નથી જોઈ. આ મામલે તે સચિન તેન્ડુકરને પણ પાછળ મૂકે છે.

ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં મૅન ઑફ ધ મૅચ રહેલા પુજારાએ ત્રણ સદી પણ ફટકારી હતી. લૅન્ગરે કહ્યું હતું કે ‘મેં આવો બૅટ્સમૅન નથી જોયો જે બૉલને આટલો ધ્યાનથી જોતો હોય. તેનું ધ્યાન બીજે વાળવું અમારા માટે પડકાર સમાન હતું. અમારે તેના જેવું થવું પડશે.’



આ પણ વાંચોઃ તેન્ડુલકરે પુજારા અને ભારતીય બોલરોનાં કર્યા વખાણ


શનિવારથી શરૂ થનારી વન-ડે સિરીઝ પહેલાં લૅન્ગરે કહ્યું હતું કે ‘અમારા ખેલાડીએ ઘણી મહેનત કરી હતી. મેલબર્ન અને સિડનીમાં પ્રામાણિકતાથી કહું તો તેણે અમને પરેશાન કરી મૂક્યા હતા, કારણ કે માત્ર એક સ્પિનર સાથે રમતી અમારી ટીમની તમામ શક્તિ ખતમ થઈ જતી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 04:27 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK