BCCIની સલાહકાર સમિતિમાં તેન્ડુલકર અને લક્ષ્મણની વાપસીની સંભાવના
સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ
(આઇ.એ.એન.એસ) સૌરવ ગાંગુલીના હાથમાં ભારતીય ક્રિકેટ બોર્ડની કમાન આવી ગયા બાદ તેઓ અનેક સુધારાવધારા કરી રહ્યા છે. આ વખતે ભારતીય ક્રિકેટ બોર્ડની ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટીમાં સચિન તેન્ડુલકર અને વી.વી.એસ. લક્ષ્મણની વાપસી થવાની સંભાવના છે. શનિવારે કાઉન્સિલની બેઠકમાં સલાહકાર સમિતિની રચના થશે. અગાઉ તેમને ઇન્ડિયન મહિલા ટીમના કોચ પસંદ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, પણ કોન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટને પગલે આ ત્રિપુટીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં આજે ભારતીય ક્રિકેટ બોર્ડની 88 મી વાર્ષિક સામાન્ય બેઠક મુંબઈમાં થશે. સલાહકાર સમિતિ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.