કમબૅક માટે યુવરાજ બીસીસીઆઇની મંજૂરીની રાહ જુએ છે : પીસીએ સેક્રેટરી
યુવરાજ
પંજાબ ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી પુનિત બાલીના જણાવ્યા પ્રમાણે ક્રિકેટમાં કમબૅક કરવા માટે યુવરાજ સિંહ હજી પણ ભારતીય ક્રિકેટ બોર્ડની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. ૨૦૧૭માં છેલ્લે યુવરાજ સિંહ ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે રમતો જોવા મળ્યો હતો. ગયા મહિને યુવરાજને પોતાનું રિટાયરમેન્ટ છોડીને ફરી પાછું કમબૅક કરવા માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. જોકે આ કમબૅક કરવા માટે એક રજિસ્ટર્ડ પ્લેયર તરીકે રમવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડની મંજૂરી હોવી જરૂરી છે જે હજી સુધી યુવરાજને મળી નથી. પુનિત બાલીના જણાવ્યા પ્રમાણે ‘હજી સુધી કન્ફર્મેશન આવ્યું નથી. પીસીએ દ્વારા યુવરાજના કમબૅકની અરજી સ્વીકારી લેવામાં આવી છે પણ અમે ભારતીય ક્રિકેટ બોર્ડની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.’
૨૦૧૧ વર્લ્ડ કપનો મૅન ઑફ ધ ટુર્નામેન્ટ બનેલો આ પ્લેયર પંજાબ ક્રિકેટ અસોસિયએશનના મોહાલીમાં આવેલા સ્ટેડિયમમાં યુવા પ્લેયર સાથે પ્રૅક્ટિસ કરતો હોય છે.