પંત સ્વીકાર કરે, તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે : અજિંક્ય રહાણે
ભારતના વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણેએ તેના જુનિયર સાથી રિષભ પંતને મોટી સલાહ આપી છે. તેણે કહ્યું કે પંતે સ્વીકાર કરવાની જરૂરત છે, તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને તેને લઈને તેણે ક્રિકેટમાં સારું કરવા પર ફોકસ રાખવું પડશે. ન્યુ ઝીલૅન્ડ વિરુદ્ધ ટેસ્ટ-સિરીઝની શરૂઆત ૨૧ ફેબ્રુઆરીથી વેલિંગ્ટનમાં થશે. પહેલી ટેસ્ટમાં પંતને રમવાની તક કદાચ જ મળે. તેની જગ્યાએ વૃદ્ધિમાન સાહા પ્લેઇંગ ઇલેવનનો ભાગ બની શકે છે.
૨૨ વર્ષનો પંત પાંચ મહિના પહેલાં સુધી વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે ત્રણેય ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયાની પહેલી પસંદ હતો. હવે તેને તેનું એ સ્થાન નથી. સીમિત ઓવરોમાં ક્રિકેટમાં કેએલ રાહુલે તેને બેદખલ કરી દીધો, જ્યારે ટેસ્ટમાં વૃદ્ધિમાન સાહા વિકેટકીપર હતો.
અજિંક્ય રાહણે પોતે પણ ખરાબ સમય જોઈ ચૂક્યો છે. તેણે આ યુવા ક્રિકેટરની હિંમત વધારી છે. રહાણેએ કહ્યું, આ મહત્ત્વપૂર્ણ છે કે તું જે પણ કરી રહ્યો છે એને સ્વીકાર કરે. સકારાત્મક રહે. કોશિશ કર અને કોઈ પણ ખેલાડીથી વધારેમાં વધારે વસ્તુ શીખે. વાત સિનિયર કે જુનિયરની નથી.