Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મોદી પાવરમાં છે તો ભારત-પાકિસ્તાનના સંબંધ નહીં સુધરે : શાહિદ આફ્રિદી

મોદી પાવરમાં છે તો ભારત-પાકિસ્તાનના સંબંધ નહીં સુધરે : શાહિદ આફ્રિદી

26 February, 2020 04:20 PM IST |

મોદી પાવરમાં છે તો ભારત-પાકિસ્તાનના સંબંધ નહીં સુધરે : શાહિદ આફ્રિદી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદી


પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીનું કહેવું છે કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી પાવરમાં છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના સંબંધ નહીં સુધરે. આ વિશે વધુ જણાવતાં આફ્રિદીએ કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી પાવરમાં છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરશે નહીં. ભારતીયો સહિત અમને પણ ખબર છે કે મોદી કયા પ્રકારે વિચારી રહ્યા છે. તેમના વિચાર નકારાત્મક તરફ વળેલા છે. માત્ર એક વ્યક્તિને કારણે ભારત-પાકિસ્તાનના સંબંધ બગડ્યા છે, જે અમે કરવા નહોતા ઇચ્છતા. બન્ને દેશોના નાગરિકો એકબીજાને ત્યાં પ્રવાસ કરવા માગે છે, પણ મને ખબર નથી પડતી કે મોદી વાસ્તવમાં શું ઇચ્છે છે.’

૨૦૧૩થી ભારત-પાકિસ્તાન વચ્ચે એક પણ દ્વિપક્ષીય સિરીઝ નથી રમાઈ. છેલ્લે ૨૦૦૬માં ઇન્ડિયન ટીમ રાહુલ દ્રવિડની આગેવાનીમાં પાકિસ્તાન ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2020 04:20 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK