Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઍડ્રિયા ટૂરની નિષ્ફળતા માટે જૉકોવિચના પિતાએ દિમિત્રોવને ગણાવ્યો જવાબદાર

ઍડ્રિયા ટૂરની નિષ્ફળતા માટે જૉકોવિચના પિતાએ દિમિત્રોવને ગણાવ્યો જવાબદાર

26 June, 2020 04:45 PM IST | Sydney
Agencies

ઍડ્રિયા ટૂરની નિષ્ફળતા માટે જૉકોવિચના પિતાએ દિમિત્રોવને ગણાવ્યો જવાબદાર

નોવાક જૉકોવિચ

નોવાક જૉકોવિચ


ઍડ્રિયા ટૂરમાં નોવાક જૉકોવિચ કોરોના-પૉઝિટિવ થતાં ટુર્નામેન્ટ અધવચ્ચેથી રદ કરવી પડી હતી. જૉકોવિચ ઉપરાંત તેની પત્ની પણ કોરોના-પૉઝિટિવ આવી છે. જૉકોવિચ કોરોના-પૉઝિટિવ થયા બાદ તેના પિતાએ બલ્ગેરિયન પ્લેયર ગ્રીગોર દિમીત્રોવને જવાબદાર ગણાવ્યો છે. જૉકોવિચ ઉપરાંત દિમિત્રોવ, બોર્ના કોરિક અને વિક્ટર ટ્રૌકી કોરોના-પૉઝિટિવ થયા હતા. જૉકોવિચના પિતાનું કહેવું છે કે દિમિત્રોવ બીમાર હોવા છતાં આ ટુર્નામેન્ટમાં રમવા આવ્યો હોવાથી અન્ય લોકોને તેનો ચેપ લાગ્યો.

જૉકોવિચના પિતા સર્જદાનનું કહેવું છે કે ‘આવું શા માટે થયું? દિમિત્રોવ આવ્યો ત્યારે થોડો બીમાર હતો. તેને ક્યાંથી આ ચેપ લાગ્યો હતો એની ખબર નથી. તેની અહીં તપાસ કરવામાં આવી નહોતી. તે બીજે કશેકથી ટેસ્ટ કરાવી આવ્યો હતો. મને નથી ખબર કે આ સાચું છે કે ખોટું. ક્રોએશિયા અને સર્બિયાને આ ઘણું મોટું નુકસાન થયું છે.’



થોડા સમય પહેલાં આ ટુર્નામેન્ટ રદ થવાને લીધે જૉકોવિચે લોકોની માફી પણ માગી હતી અને તેમને સુરક્ષિત રહેવાની સલાહ આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2020 04:45 PM IST | Sydney | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK