Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પુણેમાં રમાનારી વન-ડે સિરીઝમાં પ્રેક્ષકોને નો-એન્ટ્રી

પુણેમાં રમાનારી વન-ડે સિરીઝમાં પ્રેક્ષકોને નો-એન્ટ્રી

28 February, 2021 01:26 PM IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણેમાં રમાનારી વન-ડે સિરીઝમાં પ્રેક્ષકોને નો-એન્ટ્રી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ અને પાંચ ટી૨૦ મૅચની સિરીઝ બાદ ત્રણ વન-ડે મૅચની સિરીઝ પુણેના એમસીએ સ્ટેડિયમમાં ૨૩, ૨૬ અને ૨૮ માર્ચે રમાવાની છે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ સિરીઝ ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન (એમસીએ) દ્વારા લેવામાં આવ્યો છે. આમ આ સિરીઝમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં નહીં આવે. એક અખબારી યાદીમાં એમસીએએ કહ્યું કે ‘મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને અને માનનીય મુખ્ય પ્રધાનના નિર્દેશ અનુસાર પુણેમાં રમાનારી ત્રણેય વન-ડે મૅચમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં નહીં આવે.’ આ ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એમસીએને ખેલાડીઓની તમામ પ્રકારની સુરક્ષા અને એ માટે જરૂરી પગલાં લેવાનો આદેશ આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2021 01:26 PM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK