Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આઇસીસીનો આગામી ચૅરમૅન ‘બિગ થ્રીમાંથી ન હોવો જોઈએ : અહેસાન મની

આઇસીસીનો આગામી ચૅરમૅન ‘બિગ થ્રીમાંથી ન હોવો જોઈએ : અહેસાન મની

06 September, 2020 03:22 PM IST | Karachi
Agencies

આઇસીસીનો આગામી ચૅરમૅન ‘બિગ થ્રીમાંથી ન હોવો જોઈએ : અહેસાન મની

અહેસાન મની

અહેસાન મની


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન અહેસાન મનીની ઇચ્છા છે કે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલનો આગામી ચૅરમૅન ‘બિગ થ્રી’ બોર્ડમાંથી ન હોવો જોઈએ. પહેલી જુલાઈએ શશાંક મનોહર આઇસીસીના ચૅરમૅનપદ પરથી ઊતરી ગયા હતા અને ત્યાર બાદ ડેપ્યુટી ચૅરમૅન ઇમરાન ખ્વાજાએ આગામી ચૅરમૅન ચૂંટાઈને ન આવે ત્યાં સુધી એ પદ સંભાળ્યું હતું. એહસાન મની પોતે ૨૦૦૩થી ૨૦૦૬ દરમ્યાન આઇસીસીના ચૅરમૅનપદે રહી ચૂક્યા છે. આ વિશે અહેસાન મનીનું કહેવું છે કે ‘ઇંગ્લૅન્ડ ક્રિકેટ ઍન્ડ વેલ્સ બોર્ડ, ક્રિકેટ ઑસ્ટ્રેલિયા અને ભારતીય ક્રિકેટ બોર્ડમાંથી આઇસીસીના ચૅરમૅન સિલેક્ટ ન થવા જોઈએ. આ ઘણું ખરાબ કહેવાય કે આ નિમણૂક કરતાં ઘણી વાર લાગી રહી છે. ૨૦૧૪માં ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને ભારતે રાજકારણ કરીને પોતાની પદવી બચાવી રાખી હતી અને હવે તેઓ પોતાને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ ત્રણ દેશનાં ક્રિકેટ બોર્ડને છોડીને અન્ય કોઈ દેશમાંથી આઇસીસીના ચૅરમૅનની પસંદગી કરવામાં આવે તો સારું. બોર્ડ માટે આ એક મોટી સમસ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2020 03:22 PM IST | Karachi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK