ધોની ઇન્ડિયાનો બેસ્ટ કૅપ્ટન : રોહિત શર્મા
મહેન્દ્ર સિંહ ધોની
ટીમ ઇન્ડિયાની કપ્તાનીથી લઈ આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની કપ્તાની સુધી રોહિત શર્માએ પોતાની ક્ષમતા અને ટૅલન્ટ પુરવાર કર્યા છે. તેમ છતાં, તેનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાને મળેલો બેસ્ટ કૅપ્ટન છે. ધોની ઇન્ડિયન ટીમમાં વાપસી કરશે કે કેમ એ હજી પણ એક કોયડો છે, પરંતુ એ દરેક મુદ્દા વચ્ચે રોહિતે ધોનીની કપ્તાનીનાં વખાણ કર્યાં છે.
રોહિતે કહ્યું કે ‘મહેન્દ્ર સિંહ ધોની બેસ્ટ કૅપ્ટન છે. તેનામાં ઇન-બૉર્ન ટૅલન્ટ છે જેને લીધે તે ફિલ્ડ પર સારા નિર્ણયો લઈ શકે છે. તેના નિર્ણયોને લીધે તમે જોઈ શકો છો કે તેણે આઇસીસી ત્રણેય ટ્રોફીઓ અને કેટલાય આઇપીએલનાં ટાઇટલ્સ પોતાના નામે કર્યાં છે. ટીમ ઇન્ડિયાને મળેલો તે એક બેસ્ટ કૅપ્ટન છે અને તેની પાછળનું કારણ એ છે કે તે પ્રેશરવાળી પરિસ્થિતિમાં પણ પોતાનું ધૈર્ય નથી ગુમાવતો.’