મન્કીગેટ મારી કૅપ્ટન્સીનો સૌથી નબળો તબક્કો છે : પૉન્ટિંગ
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે કહ્યું છે કે મન્કીગેટનો વિવાદ તેની કપ્તાનીમાં રહેલો સૌથી નીચલો તબક્કો છે. ૨૦૦૭-’૦૮માં હરભજન સિંહે એન્ડ્રુ સાયમન્ડને મન્કી કહેતાં વિવાદ સર્જાયો હતો. આ વિશે વાત કરતાં પૉન્ટિંગે કહ્યું કે ‘મારી કપ્તાની દરમ્યાન સૌથી નીચલી ઘટના કદાચ મન્કીગેટનો વિવાદ હશે. ૨૦૦૫માં ઍશિઝ અમે ગુમાવી હતી, પરંતુ એ મારા કન્ટ્રોલમાં હતું, જ્યારે આ મન્કીગેટની ઘટના ઘટી ત્યારે એ મારા કન્ટ્રોલની બહારની વાત હતી. આ વિવાદ સૌથી લાંબો ખેંચાયો હતો. મને યાદ છે ઍડિલેડ ટેસ્ટ મૅચ બાદ હું ક્રિકેટ ઑસ્ટ્રેલિયા સાથે આ વિશે વાત કરી રહ્યો હતો કેમ કે ટેસ્ટ મૅચ પછી આ વિવાદની સુનાવણી હતી. મન્કીગેટની ઘટનાને લીધે અમે બધા નિરાશ થયા હતા અને એની અસર પછીની ટેસ્ટ મૅચમાં જોવા મળી હતી.’