અમરનાથ સિલેક્શન પૅનલમાંથી જ આઉટ?
અમરનાથની બાદબાકી પાછળ ચૅરમૅન શ્રીકાંત સાથે કૅપ્ટન્સી અને ટીમ સિલેક્શન બાબતે મતભેદો જવાબદાર બની શકે એમ છે. અમરનાથ ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાની નામોશીભરી ટૂર પછી ટેસ્ટ ટીમના કૅપ્ટનપદેથી મહેન્દ્રસિંહ ધોનીને હટાવવાના પક્ષમાં છે અને આ બાબતે બીજા સિલેક્ટરો સાથે પણ તેમના મતભેદો વકરી રહ્યા છે અને આ મતભેદો જ તેમનો ભોગ લેશે. અમરનાથની જગ્યાએ સિલેક્શન કમિટીમાં કદાચ રૉજર બિન્નીને સમાવેશ કરવામાં આવશે એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બિન્ની ઉપરાંત ચેતન ચૌહાણ, દીપ દાસગુપ્તા, અરૂપ ભટ્ટાચાર્યનાં નામો પણ ચર્ચાઈ રહ્યાં છે.