બાર્સિલોના છોડી રહ્યો છે મેસી
મેસી
લાયનલ મેસી સમરમાં તેની ક્લબ બાર્સિલોનાને છોડવા માગે છે. તેણે સ્પેનની ડૉક્યુમેન્ટ ડિસ્પેચ કરતી કંપની દ્વારા ક્લબને માહિતી આપી છે કે તે સમરથી ક્લબ છોડવા માગે છે. ચૅમ્પિયન્સ લીગના ક્વૉર્ટર ફાઇનલમાં બાયરન મુનિચની સામે ૨-૮ની શરમજનક હારના ૧૧ દિવસ બાદ મેસીએ ક્લબ છોડવાની વાત કહી છે. આ હાર ક્લબની સાથે મેસીના જીવનની પણ ખૂબ જ ખરાબ હાર છે. મેસીએ ક્લબમાં રમવાની શરૂઆત બાર્સિલોના સાથે કરી હતી અને ત્યારથી તે એક જ ક્લબ સાથે રમે છે. તેણે તેના કરીઅરનો અંત આ જ ક્લબમાં કરવાનું નક્કી કર્યું હતું. જોકે છેલ્લા ઘણા સમયથી આ ક્લબના મૅનેજમેન્ટને લઈને તેણે નારાજગી વ્યક્ત કરી હતી. બાયરન સામેની હાર બાદ તેમના કોચ ક્વિકી સેટિનને પણ કાઢી મૂકવામાં આવ્યો છે. સેટિનના રિપ્લેસમેન્ટ રોનાલ્ડ કોઇમૅનને મેસી મળ્યો હતો અને તેણે કહ્યું હતું કે આ ક્લબ સાથેના તેના ફ્યુચરને લઈને તે ચોક્કસ નથી.