Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ત્રીજી ટેસ્ટમાં મહારાજને રિપ્લેસ કરશે લિન્ડે

ત્રીજી ટેસ્ટમાં મહારાજને રિપ્લેસ કરશે લિન્ડે

14 October, 2019 09:42 AM IST | પુણે

ત્રીજી ટેસ્ટમાં મહારાજને રિપ્લેસ કરશે લિન્ડે

 જ્યૉર્જ લિન્ડે

જ્યૉર્જ લિન્ડે


ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝ ૨-૦થી ભારતે જીતી લીધી છે, પણ સાઉથ આફ્રિકન ટીમ માટે માઠા સમાચાર એ છે કે ત્રીજી ટેસ્ટ મૅચમાં તેમનો બોલર કેશવ મહારાજ ઇન્જરીને લીધે નહીં રમી શકે અને તેના સ્થાને લેફ્ટ આર્મ સ્પિનર જ્યૉર્જ લિન્ડેને સ્થાન આપવામાં આવશે.
બીજી ટેસ્ટ મૅચના બીજા દિવસે ફીલ્ડિંગ કરતી વખતે તેના જમણા ખભામાં ઇન્જરી થઈ હતી. એમઆરઆઇ રિપોર્ટ કઢાવ્યા બાદ ડૉક્ટરોએ તેને આરામની સલાહ આપી છે. નોંધનીય છે કે બીજી ટેસ્ટ મૅચની બન્ને ઇનિંગમાં જ્યાં સાઉથ આફ્રિકાનો ટૉપ ઑર્ડર ટાર્ગેટ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યો હતો ત્યારે આ બોલરે ભારતીય બોલરોને ખાસ્સા હેરાન-પરેશાન કર્યા હતા. મહારાજની ઈજાને જોતાં તેને ૧૪થી ૨૧ દિવસ રેસ્ટ કરવાની સલાહ ડૉક્ટરોએ આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2019 09:42 AM IST | પુણે

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK