ત્રીજી ટેસ્ટમાં મહારાજને રિપ્લેસ કરશે લિન્ડે
જ્યૉર્જ લિન્ડે
ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝ ૨-૦થી ભારતે જીતી લીધી છે, પણ સાઉથ આફ્રિકન ટીમ માટે માઠા સમાચાર એ છે કે ત્રીજી ટેસ્ટ મૅચમાં તેમનો બોલર કેશવ મહારાજ ઇન્જરીને લીધે નહીં રમી શકે અને તેના સ્થાને લેફ્ટ આર્મ સ્પિનર જ્યૉર્જ લિન્ડેને સ્થાન આપવામાં આવશે.
બીજી ટેસ્ટ મૅચના બીજા દિવસે ફીલ્ડિંગ કરતી વખતે તેના જમણા ખભામાં ઇન્જરી થઈ હતી. એમઆરઆઇ રિપોર્ટ કઢાવ્યા બાદ ડૉક્ટરોએ તેને આરામની સલાહ આપી છે. નોંધનીય છે કે બીજી ટેસ્ટ મૅચની બન્ને ઇનિંગમાં જ્યાં સાઉથ આફ્રિકાનો ટૉપ ઑર્ડર ટાર્ગેટ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યો હતો ત્યારે આ બોલરે ભારતીય બોલરોને ખાસ્સા હેરાન-પરેશાન કર્યા હતા. મહારાજની ઈજાને જોતાં તેને ૧૪થી ૨૧ દિવસ રેસ્ટ કરવાની સલાહ ડૉક્ટરોએ આપી છે.