કાશ્મીરને છોડો, પહેલાં તમારા નિષ્ફળ દેશ વિશે કંઈક કરો : સુરેશ રૈના
સુરેશ રૈના
સુરેશ રૈનાનું કહેવું છે કે પાકિસ્તાને પહેલાં તેમના નિષ્ફળ દેશ વિશે કંઈક કરવું જોઈએ અને ત્યાર બાદ લોકોની ચિંતા કરવી જોઈએ. શાહિદ આફ્રિદીએ હાલમાં ઇન્ડિયા વિરુદ્ધ કરેલી કમેન્ટને પગલે ઇન્ડિયન ક્રિકેટર છંછેડાયા છે. આ વિશે સુરેશ રૈનાએ ટ્વીટ કર્યું હતું, ‘લોકો ચર્ચામાં રહેવા માટે શું-શું કરે છે? ખાસ કરીને એવો દેશ જે લોકોના દાન પર જીવતો હોય. તમે કાશ્મીરને છોડો, પહેલાં પોતાના નિષ્ફળ દેશ માટે કંઈક કરો. હું એક પ્રાઉડ કાશ્મીરી છું અને હંમેશાં આ અદ્ભુત ઇન્ડિયાનો જ પાર્ટ બનીને રહીશ. જય હિન્દ.’